• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • નવરાત્રીમાં ગરબા રમવાની સાથે કાર્ડિઆક એરેસ્ટ અને હાર્ટ એટેકથી કેવી રીતે બચશો?

નવરાત્રીમાં ગરબા રમવાની સાથે કાર્ડિઆક એરેસ્ટ અને હાર્ટ એટેકથી કેવી રીતે બચશો?

12:05 PM October 15, 2023 admin Share on WhatsApp



Prevent Heart Attack While Playing Garba in Navratri : તાજેતરમાં જ ગરબા રમતા વખતી નાની વયના યુવાનો હાર્ટ એટેકથી મૃત્યુ પામતા હોય તેવા સમાચાર આપણે સતત સાંભળી રહ્યા છે. એવામાં નવરાત્રી ઉત્સવ 2023માં તમામ લોકોએ પોતાના આરોગ્ય પ્રત્યે સાવચેત થવાની જરૂર છે. ગરબા ગાનાર વ્યક્તિ એક ઝડપી સ્પોર્ટસ રમે છે. કલાકોના કલાકો ઘૂમતા રહે છે. બ્રેક લેતા નથી પાણી પીતા નથી. ડીજેની હૃદયના પડદા ફાડી નાંખે એવી સાઉન્ડ સિસ્ટમ(Sound System)ની નજીક ઝૂમતા રહે છે. એમની મસાલા ખાવાની આદત વર્ષોથી ચાલુ હોય છે. કેટલાક ડ્રગ એડિકટ પણ હોય છે. ગરબાના રસિયાઓ સ્થળો બદલવાનો અને મિત્રોને અંદર લાવવાનો તેમજ પાસની વ્યવસ્થા કરવાનો જબરજસ્ત સ્ટ્રેસ અનુભવે છે. આ બધી જ બાબતો કાર્ડિઆક એરેસ્ટ (Cardiac Arrest) તરફ દોરી જાય છે. આ એક સાયલન્ટ કિલર છે. ઘણીવાર શ્વાસ ચઢવાના કે જલ્દી થાકી જવાના ચિન્હો દેખાય તો પણ આપણે મેડિકલ ચેક અપ કરાવતા નથી.

► ગરબા દરમિયાન હાઈડ્રેટેડ રહેવું ખુબ જરૂરી 

જાણીતા કાર્ડિઓવાસ્ક્યુલર સર્જનના મતે તમારે તમારૂ બ્લડપ્રેશર અને નાડીના ધબકારા અવારનવાર ચેક કરાવવા જોઈએ. ઉપરાંત ઈકો ટેસ્ટ, ઈસીજી એ એક્સ-રે પણ ડોકટરને તમારા હૃદયની ઉપયોગી માહિતી આપે છે. નિષ્ણાતોના મતે ગાઢ નિદ્રા અને ધીમી કસરતો કે ગરબા તમને આનંદ અને તંદુરસ્તી આપશે. તબીબી નિષ્ણાતોના મતે ગરબા દરમ્યાન હાઈડ્રેટેડ રહેવું ખૂબ જરૂરી છે. વચ્ચે વચ્ચે બ્રેક લઈ ધીમે ધીમે પાણી પીતા રહો. ગરબાની કે રમતની હરીફાઈ પહેલાં તમારો બોડી ચેક અપ કરાવી લઈ તમારી ક્ષમતા જાણી લ્યો. ફેમિલીમાં હૃદયરોગનો ઈતિહાસ હોય તો ડોકટરને તેની જાણ કરો.

► તમારી બોડીનો ચેકઅપ સમયાંતરે કરાવો

પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે તેમ તમારી બોડીનો ચેક અપ પણ સમયાંતરે કરાવતા રહો. લોહીનો એક નાનકડો ક્લોટ તમારા હૃદયને કે મગજને ક્યારે પણ કામ કરતાં થંભાવી દે છે. તમારે સ્પોર્ટસ રમવું છે, જીમમાં જવું છે ગરબા ગાવા છે તો શરીરને તેને માટે તૈયાર કરો. એક હૃદયરોગ નિષ્ણાતના મતે બહારનો ખોરાક ત્યજો, મીઠુ (સોલ્ટ) ઓછું ખાવ અને મધ્યમસરના વ્યાયામ સાથે હાઈડ્રેટેડ (જલસભર) રહેશો તો બીનજરૂરી મુસીબતોથી બચી શકશો.

► બ્લડ પ્રેશરની બિમારીવાળા લોકોએ ગરબાથી દુર રહેવું

અમદાવાદ મેડિકલ એસોસીએશનની ગાઈડલાઈન વેબસાઈટ પરથી વાંચી તેનો અમલ કરો. જેમનું બ્લડપ્રેશર વધુ છે, જેમને ડાયાબીટીશ, હૃદયની તકલીફ છે તેમને હૃદયરોગનું જોખમ ટાળવા ગરબાથી દૂર રહેવું. ગરબા ગાતા થકાવટ વધુ લાગે, શ્વાસ ચઢે કે ગભરાટ થાય તો નાળીયેર પાણી અથવા કેળા જેવો વધુ પોટેશ્યમ અને મેગ્નેશ્યમ ધરાવતો આહાર લેવો. ગરબામાંથી ખસી જવું. ઊજાગરા નવ દિવસ ચાલશે એટલે દિવસે પૂરતી ઊંઘ, આરામ લેવો. આ સઘળા સૂચનો કાર્ડિઆક સર્જન તરફથી રજૂ થયા છે. તેનું ગંભીરતાથી પાલન કરવું અને નવરાત્રી માણવી.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us